
મહારાષ્ટ્રના ભંડારામાં શનિવારે મોટી દુર્ઘટના બની ગઈ છે. અહીંની જિલ્લા હોસ્પિટલમાં મોડી રાતે બે વાગ્યે આગ લાગી ગઈ હતી, જેમાં 10 બાળકનાં મોત થયાં છે, જેમની ઉંમર એક દિવસથી માંડી 3 મહિના સુધીની છે. આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તપાસના આદેશ આપ્યા
જિલ્લા કલેક્ટર સંદીપ કદમ, SP વસંત જાધવ, ASP અનિકેત ભારતી, જિલ્લા સર્જન ડો. પ્રમોદ ખંડાતે ઘટનાસ્થળ પર હાજર છે. સ્વાસ્થ્ય ડે. ડાયરેક્ટર સંજય જયસ્વાલ પણ નાગપુરથી ભંડારા માટે રવાના થઈ ચૂક્યા છે.
Ten children died in a fire that broke out at Sick Newborn Care Unit (SNCU) of Bhandara District General Hospital at 2 am today. Seven children were rescued from the unit: Pramod Khandate, Civil Surgeon, Bhandara, Maharashtra pic.twitter.com/bTokrNQ28t
— ANI (@ANI) January 9, 2021
સિવિલ સર્જન પ્રમોદ ખંડાતેએ જણાવ્યું હતું કે આગ સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં સવારે 2 વાગ્યે લાગી હતી. યુનિટમાંથી સાત બાળકને બચાવી લેવાયાં છે, સાથે જ દસ બાળકનાં મોત થયાં છે.
આખી હોસ્પિટલને પોલીસે બંધ કરાવી દીધી છે. સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે આ એકદમ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. શ્વાસ રૂંધાવાથી મરનારાં બાળકોનું પોસ્ટમાર્ટમ નહીં કરવામાં આવે. ઘટના પાછળનું કારણ શોધીને દોષિત વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું.
વોર્ડમાં 17 બાળક એડમિટ હતાં

મળતી માહિતી પ્રમાણે, આ વોર્ડમાં લગભગ 17 બાળક હતાં. અહીં નાજુક સ્થિતિવાળાં બાળકોને રાખવામાં આવે છે. સૌથી પહેલા એક નર્સે વોર્ડમાંથી ધુમાડો નીકળતાં જોયો. તેણે તાત્કાલિક હોસ્પિટલના અધિકારીઓને આની જાણ કરી. ત્યાર પછી સ્ટાફે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો. આની ફાયરબ્રિગેડને પણ જાણ કરી દેવાઈ. ફાયરકર્મીઓએ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું.
ઘટના પછી હોસ્પિટલની બહાર ભીડ ભેગી થઈ ગઈ છે. લોકોનો આરોપ છે કે ઘટના માટે હોસ્પિટલ તંત્ર જવાબદાર છે.
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ ટ્વિટ કરીને પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ફડણવીસે દુર્ઘટનાની તપાસ કરવા અને દોષિત વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.
Fire incident at the Bhandara District Hospital,where about 10 children lost lives is very painful & disturbing.
My deep condolences to the families who suffered such irreparable loss.
This incident should be properly investigated & strict action be taken against the culprits.
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.રાષ્ટ્રપતિએ કહ્યું કે, હોસ્પિટલમાં બાળકોના મોતથી ઘણું દુઃખ થયું છે. ઘટનામાં પોતાના બાળકોને ગુમાવનાર પરિવાર પ્રત્યે મારી સંવેદના છે.
महाराष्ट्र के भंडारा में हुए अग्नि हादसे में शिशुओं की असामयिक मृत्यु से मुझे गहरा दुख हुआ है। इस ह्रदय विदारक घटना में अपनी संतानों को खोने वाले परिवारों के प्रति मेरी हार्दिक संवेदना।
— President of India (@rashtrapatibhvn) January 9, 2021સાથે જ વડાપ્રધાન મોદીએ આને હૃદય કંપાવી દે તેવી ઘટના ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, અમે ઘણી કિંમતી નવી જિંદગીઓ ગુમાવી દીધી. મારી સંવેદનાઓ પીડિત પરિવાર સાથે છે. મારી પ્રાર્થના છે કે ઘાયસ બાળકો ઝડપથી સાજા થઈ જાય.
Heart-wrenching tragedy in Bhandara, Maharashtra, where we have lost precious young lives. My thoughts are with all the bereaved families. I hope the injured recover as early as possible.
— Narendra Modi (@narendramodi) January 9, 2021અમિત શાહે કહ્યું, આ દુઃખ માટે શબ્દ નથી
The fire accident in Bhandara district hospital, Maharashtra is very unfortunate. I am pained beyond words. My thoughts and condolences are with bereaved families. May God give them the strength to bear this irreparable loss.
— Amit Shah (@AmitShah) January 9, 2021હોસ્પિટલમાં જીવ ગુમાવનારાં બાળકો માટે ગૃહમંત્રી અમિત શાહે શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. આ દુઃખ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. મારી સંવેદનાઓ પીડિત પરિવાર સાથે છે.
બાળકોના જીવ ગુમાવવા અંગે કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે હું મુખ્યમંત્રીને અપીલ કરું છું કે તેઓ ઘાયલો અને મૃતક બાળકોના પરિવારને દરેક શક્ય મદદ કરે.
The unfortunate incident of fire at Bhandara District General Hospital in Maharashtra is extremely tragic.
My condolences to the families of the children who lost their lives.
I appeal to Maha Govt to provide every possible assistance to the families of the injured & deceased.
ત્રણ મહિના પહેલાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી
ગત વર્ષે સપ્ટેમ્બરમાં રાજ્યના કોલ્હાપુરમાં એક સરકારી હોસ્પિટલમાં આગ લાગી હતી. છત્રપતિ પ્રમિલા રાજે શાસકીય હોસ્પિટલમાં બનેલી ઘટનાનું કારણ પણ શોર્ટસર્કિટ હોવાનું કહેવાયું હતું. આ હોસ્પિટલમાં કોરોના સંક્રમિતોની સારવાર ચાલી રહી હતી. એ વખતે અહીં 400થી વધુ દર્દી એડમિટ હતા. જોકે આગથી તેમને કોઈ નુકસાન થયું ન હતું.
આ સમાચાર સતત અપડેટ કરવામાં આવી રહ્યાં છે...
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
